લોકરક્ષક ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ કામગીરી જેવી કે, દૈનિકપત્રોમાં જાહેરાત આપી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ OJAS સોફટવેર મારફતે મેળવી સરકારશ્રીના નિયમોનુસાર શારીરીક કસોટી, લેખિત પરિક્ષા તેમજ દસ્તાવેજ ચકાસણી લેવાની કામગીરી કરશે. ત્યારબાદ પરીણામ જાહેર કરવા અંગેની કામગીરી કરશે. આ અંગેની તમામ વ્યવસ્થા લોકરક્ષક ભરતી બોર્ડે કરવાની હોય છે.
એકદંરે ભરતી બોર્ડ ધ્વારા ભરતી નિયમો, પરીક્ષા નિયમો, ઠરાવો, પરિપત્રો અને પ્રસ્થાપિત અનામત અંગેની નિતીને અનુસરીને પરીક્ષાની શરૂઆતથી આખરી પરીણામ સંવર્ગવાર તૈયાર કરવાની તમામ કામગીરી લોકરક્ષક ભરતી બોર્ડની ફરજમાં આવે છે.