હેલ્પ લાઇન (સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦) 81608 80331,81608 53877,81608 09253

:: તા.૨૧.૦૯.૨૦૨૪ ::

પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા બાબત.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૨૯૫૩ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.

જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.

તા.૨૯/૦૯/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.

અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે અહીં કલીક કરો....


:: તા.૦૩.૦૯.૨૦૨૪ ::

ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ

  1. અગાઉ એપ્રિલ-૨૦૨૪માં જે ઉમેદવારો પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડર માટે લાયક હતા, પરંતુ BOTHમાં અરજી કરવાને બદલે ભુલથી પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડર માટે અલગ અલગ અરજી કરેલ છે તેમણે હવે નવેસરથી બીજી અરજી કરવાની જરૂર નથી. તેમની અલગ-અલગ કરેલ બન્ને અરજીઓ માન્ય ગણવામાં આવશે. પરંતુ આ માટે ઉમેદવારે નિયત નમૂના મુજબ અરજી પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે તા.૧૫.૦૯.૨૦૨૪ સાંજ સુધીમાં પોસ્ટ/કુરીયર મારફતે મોકલી આપવાની રહેશે.
  2. અગાઉ એપ્રિલ-૨૦૨૪માં કુલ-૩૩૧ ઉમેદવારોએ અરજી ફોર્મમાં પોતાની જેન્ડર (Male / Female)ની વિગત ભરવામાં ભુલ કરેલ હોવાનું જણાય છે. આ ઉમેદવારોને જો અરજીમાં જણાવેલ પોતાની જેન્ડરની વિગત સાચી જણાતી હોય તો તેવા ઉમેદવારોએ નિયત નમૂના મુજબ અરજી પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે તા.૧૫.૦૯.૨૦૨૪ સાંજ સુધીમાં પોસ્ટ/કુરીયર મારફતે મોકલી આપવાની રહેશે.
    • એપ્રિલ-૨૦૨૪માં જેન્ડર (Male / Female)ની વિગત ભરવામાં ભુલ કરેલ કુલ-૩૧૧ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો....
    • જેન્ડરની વિગત સુધારવા માટે અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો....
  3. આ ૩૩૧ ઉમેદવારો સિવાય પણ જો કોઇ અન્ય ઉમેદવારથી ભુલથી જેન્ડરની વિગત લખવામાં ભુલ થઇ હોય તો તેવા ઉમેદવારોએ પણ મુદ્દા નં.૨ મુજબ અરજી કરવાની રહેશે.
  4. પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વિકારવામાં આવશે નહીં

:: તા.૩૧.૦૮.૨૦૨૪ ::

ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ

  1. અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી ફકત લોકરક્ષકની અરજી થઇ ગઇ છે

    જવાબ- તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.

  2. અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી થઇ ગઇ છે

    જવાબ - તાજેતરમાં Both (PSI and Lokrakshak Cadre) જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.

  3. અગાઉ લોકરક્ષક માટે લાયક હતા પરંતુ PSI માટે લાયક ન હતા તેમછતાં ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી કરેલ હતી. પરંતુ તાજેતરમાં PSI માટે લાયક છે તો હવે અગાઉની Both (PSI and Lokrakshak Cadre) અરજી માન્ય રહેશે કે નવી અરજી કરવી પડે?

    જવાબ - આ કિસ્સામાં અગાઉ જે Both (PSI and Lokrakshak Cadre) ની અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે Both (PSI and Lokrakshak Cadre) માં ફરી નવેસરથી અરજી કન્ફર્મ કરવી.

  4. અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે હુ PSI માટે લાયક છુ અને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી પણ છે તો હવે હુ Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?

    જવાબ - ફકત PSI કેડરમાં EWS/SEBC માં અરજી કરી શકે. જો Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBCમાં અરજી કરશે તો તેની તમામ અરજી રદ્દ કરવામાં આવશે.

  5. અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે મારી પાસે EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી છે તો હવે હુ લોકરક્ષક કેડરમાં ફરીથી EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?

    જવાબ - ના, જાહેરાતનો સમયગાળો ઘણો હતો એટલે ઉમેદવારોને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવા માટે પુરતો સમય હતો તેમ છતાં EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવાના બદલે જનરલમાં અરજી કરેલ હોઇ, આવા ઉમેદવારોને વધુ તક મળવાપાત્ર નથી.

ખાસ નોંધઃ
  1. ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ રદ્દ કરવાની અરજી કર્યા બાદ જણાવ્યા મુજબ નવેસરથી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જો ફી લાગુ પડતી હોય તો ફી પણ સમયસર ભરવાની રહેશે. આ અંગે બોર્ડની કોઇ જવાબદારી રહેશે નહી.
  2. ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ પોલીસ ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો......
  3. અરજી ફકત પોસ્ટ / કુરીયર મારફતે જ તા.૧૫/૦૯/૨૦૨૪ સાંજ સુધીમાં પોલીસ ભરતી બોર્ડને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
  4. પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વિકારવામાં આવશે નહીં

:: તા.૨૭.૦૮.૨૦૨૪ ::

લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક અંગેની સૂચના

લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક તા.૧ર.૪.ર૦ર૪ ના રોજ વેબસાઇટ ૫ર મુકવામાં આવેલ. ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ થાય તે માટે ઉ૫રોકત અંદાજિત સમય૫ત્રકમાં ઉમેદવારોએ નીચેની બાબતો ઘ્યાને લેવી.

  1. લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતી પૈકી પી.એસ.આઇ. ના ઉમેદવારોની શારીરિક કસોટી પ્રથમ લઇ તે પૂર્ણ થતા તેઓની લેખિત ૫રીક્ષા લેવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. જેથી તેઓની લેખિત ૫રીક્ષા જાન્યુઆરી - ફેબ્રુઆરી ના બદલે ડિસેમ્બર - જાન્યુઆરી માસમાં થવાની શકયતા છે.
  2. એ જ રીતે લોકરક્ષકની લેખિત ૫રીક્ષા ફેબ્રુઆરી-ર૦ર૫ ને બદલે જાન્યુઆરી-ર૦ર૫ માં થવાની શકયતા છે.
:: તા.૨૨.૦૮.૨૦૨૪ ::

ખાતાકીય બઢતી પરીક્ષા મોડ-૩ પેપર-૧ (કાયદો) તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ લેવાયેલ લેખિત પરીક્ષા ની હંગામી જવાબચાવી (Provisional Answer Key) જોવા બાબત.

ખાતાકીય બઢતી પરીક્ષા મોડ-૩ પેપર-૧ (કાયદો) તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ લેવાયેલ લેખિત પરીક્ષાના પ્રશ્ન પુસ્તીકા સિરીઝ-A ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબચાવી (Provisional Answer Key) જોવા માટે અહીં કલીક કરો......

ઉમેદવારોએ પોતાના પરીક્ષાના જવાબ પ્રશ્ન પુસ્તીકા સિરીઝ-A સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.

કોઇપણ ઉમેદવારને હંગામી જવાબચાવી (Provisional Answer Key) અંગે વાંધા/રજુઆત હોય તો તા.૨૨/૦૮/૨૦૨૪ થી તા.૨૪/૦૮/૨૦૨૨ ના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં ભરતી બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ [email protected] ઉપર જ મોકલી આપવાના રહેશે. વાંધા/રજુઆતમાં ઉમેદવારે પોતાનું નામ, રોલ નંબર, મોબાઇલ નંબર અને પ્રશ્ન પુસ્તીકા સિરીઝ-A મુજબ જે પ્રશ્ન અંગે વાંધા/રજુઆત છે તે પ્રશ્નનો ક્રમાંક ઇ-મેઇલ માં અવશ્ય દર્શાવવાનો રહેશે અને સાથોસાથ જે પ્રશ્નનો વાંધા/રજુઆત કરેલ છે તે અંગેના પ્રમાણનો પુરાવો ઇ-મેઇલમાં એટેચ (જોડાણ) કરેલ હશે તેવા જ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે. અન્ય રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ તેમજ પોતાનું નામ, રોલ નંબર, મોબાઇલ નંબર અને પ્રશ્ન ક્રમાંકની માહિતી ભરેલ ન હોય તેવા વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.


:: તા.૨૧.૦૮.૨૦૨૪ ::

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગેની સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો......


:: તા.૧૮.૦૮.૨૦૨૪ ::

તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ યોજાયેલ ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) ની લેખિત પરીક્ષામાં પેપર-૧ (કાયદો) ની OMR Sheet જોવા બાબત.

તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ યોજાયેલ ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) ની લેખિત પરીક્ષામાં પેપર-૧ (કાયદો)ના પેપરમાં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheet ની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે અને તમામ OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહીં કલીક કરો......


:: તા.૧૨.૦૮.૨૦૨૪ ::

મોડ-૩ ૫રીક્ષામાં પે૫ર-૧ માં ૫રીક્ષા ખંડમાં ઉ૫યોગમાં લેવાના પુસ્તકો બાબત.

મોડ-૩ ૫રીક્ષાના પે૫ર-૧ માં પુસ્તકો સાથે ૫રીક્ષા આ૫વાની જોગવાઇ છે. ૫રંતુ આ પુસ્તકો સરકાર અથવા માન્ય સંસ્થા ઘ્વારા પ્રકાશિત BARE ACT એટલે કે કોઇ૫ણ પ્રકારની ટીકાટિપ્પણી વિનાનું માત્ર સરકાર ઘ્વારા બહાર પડાયેલ કાયદાઓની કલમો દર્શાવતું પુસ્તક રાખવાની છૂટ છે.

ઉમેદવારો સમજના અભાવને કારણે ટીકાટિપ્પણીવાળું કોઇ પુસ્તક લઇને આવશે તો તેમને તે પુસ્તક સાથે રાખવા દેવામાં આવશે નહીં.

આ અંગે ઉમેદવારો અવારનવાર ભરતી બોર્ડને ફોન કરીને પૃચ્છા કરતા હોય છે. તેઓને માર્ગદર્શન મળી રહે તથા ૫રીક્ષાના દિવસે તેમને મુશ્કેલી ન ૫ડે તે માટે અત્રેના ઘ્યાન ૫ર આવેલ કેટલાક પ્રકાશકો ઘ્વારા પ્રકાશિત BARE ACT ના પુસ્તકોના કવરપેજના ફોટા નીચે મુકેલ છે.

નોંઘ : આ માત્ર અત્રેના ઘ્યાન ૫ર આવેલ ઉદાહરણરૂ૫ પુસ્તકો છે. અન્ય પ્રકાશકો ઘ્વારા ૫ણ બહાર પાડવામાં આવેલ અભ્યાસક્રમના કાયદાઓના BARE ACT (કોઇ૫ણ ટીકાટિપ્પણી વગરનું પુસ્તક) ઉમેદવાર સાથે રાખી શકશે.

ફોટા જોવા માટે અહીં કલીક કરો......


:: તા.૧૨.૦૮.૨૦૨૪ ::

લોકરક્ષક ભરતી ર૦ર૧-રર ની ભરતી પ્રક્રિયા દરમ્યાન ગેરરીતિ આચરેલ ઉમેદવારોને રાજય સરકાર હસ્તકની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠરાવેલ બાબત.

લોકરક્ષક ભરતી ર૦ર૧-રર ની ભરતી પ્રક્રિયા દરમ્યાન ગેરરીતિ કરી, પોલીસ ભરતીમાં બિનઅધિકૃત રીતે ભરતી થવાની કોશીષ કરી ગેરરીતી આચરેલ હતી તેવા કુલ-૩૭ ઉમેદવારોને રાજય સરકાર હસ્તકની ભરતીમાં તા.૨૮/૦૫/૨૦૨૪ થી આગામી ૩ (ત્રણ) વર્ષ માટે ગેરલાયક ઠરાવવામાં આવેલ છે.

ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો......


:: તા.૧૦.૦૮.૨૦૨૪ ::

મોડ-૩ લેખિત પરીક્ષા બાબત

લેખિત પરીક્ષા તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ ગાંધીનગર ખાતે યોજાનાર છે. આ લેખિત પરીક્ષા માટે પેપર-૧ (કાયદો) અને પેપર-૨ (ગુજરાતી ભાષા) માટે ઉમેદવારોના જાણ સારૂ જરૂરી સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો......


:: તા.૦૫.૦૮.૨૦૨૪ ::

બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩)ની

લેખિત પરીક્ષાના કોલલેટર અંગે જરૂરી સુચના

લેખિત પરીક્ષા તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ ગાંધીનગર ખાતે યોજાનાર છે. લેખિત પરીક્ષામાં હાજર રહેવા માટેના કોલલેટર સબંધિત શહેર/જીલ્લા ખાતે પત્ર લખી મોકલી આપવામાં આવેલ છે.

પત્રમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારે પોતાનો ઉમેદવારના સાદા કપડામાં (સિવિલ ડ્રેસનો) ફોટો કચેરી ખાતે આપી કોલલેટરમાં નિયત જગ્યાએ ચોટાડી ફોટા ઉપર કચેરીનો રાઉન્ડ સ્ટેમ્પ લગાવી, નિયત જગ્યાએ પોતાની સહી કરી, કચેરીના સહી સિકકા કરાવી, કચેરી ખાતે પત્રકમાં જણાવેલ કોલમ મુજબ “ઉમેદવારની કોલલેટર મળ્યા બદલની સહી” કરી કોલલેટર લેખિત કસોટી સમય સાથે લાવવાનો રહેશે.


:: તા.૨૯.૦૭.૨૦૨૪ ::

મોડ-૩ - લેખિત ૫રીક્ષા બાબત

મોડ-૩ બઢતી ૫રીક્ષા માટે તા.રર.૦૭.ર૦ર૪ તથા તા.ર૩.૦૭.ર૦ર૪ ના રોજ લેવાયેલ શારીરિક કસોટીમાં ઉત્તિર્ણ થયેલ કુલ-૧૩૫૦ ઉમેદવારોની લેખિત ૫રીક્ષા તા.૧૮.૦૮.ર૦ર૪ ને રવિવાર ના રોજ ગાંઘીનગર ખાતે યોજાનાર છે.

મોડ-૩ - પે૫ર-૧ માટે ૫રીક્ષા નિયમોમાં જણાવ્યાનુસાર નીચે મુજબની જોગવાઇ છે :

આ જોગવાઇ મુજબ પે૫ર-૧ ની અંદર પુસ્તકો સાથે ૫રીક્ષા આપી શકાશે. ૫રંતુ પુસ્તકો સરકાર ઘ્વારા પ્રકાશિત અથવા સંસ્થા ઘ્વારા પ્રકાશિત Bare Act એટલે કે કોઇ૫ણ ટીકાટિપ્પણી વિનાના પુસ્તકો ૫રીક્ષામાં સાથે રાખી શકાશે.

કેન્દ્રમાં પ્રવેશતી વખતે પુસ્તકોની ચકાસણી કરવામાં આવશે અને પુસ્તકોમાં મૂળ કાયદા ઉ૫રાંત કોઇ૫ણ ટીકાટિપ્પણી હશે તો તેવું પુસ્તક ૫રીક્ષાખંડમાં લઇ જવા દેવામાં આવશે નહીં. જેથી ઉમેદવાર જે પુસ્તક ૫રીક્ષાખંડમાં ઉ૫યોગમાં લેવા માગે છે તે પુસ્તકની ચકાસણી કરી ૫રીક્ષા કેન્દ્ર ૫ર આવે તેની સલાહ છે.


:: તા.૨૪.૦૭.૨૦૨૪ ::

ખાતાકીય બઢતી (મોડ-૩)ની શારીરીક કસોટીનાં પરીણામ બાબત

ખાતાકીય બઢતી (મોડ-૩) માટેની શારીરીક કસોટી તા.૨૨/૦૭/૨૦૨૪ તથા ૨૩/૦૭/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ.

ખાતાકીય બઢતી (મોડ-૩)ની શારીરીક કસોટીનું પરીણામ જોવા માટે અહીં કલીક કરો......


:: તા.૧૨.૦૭.૨૦૨૪ ::

બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩)ની લેખિત પરીક્ષા બાબત

બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) માટે ની શારીરીક કસોટી તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૨૪/૦૭/૨૦૨૪ દરમ્યાન યોજાનાર છે.

શારીરીક કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોની લેખિત પરીક્ષા ઓગષ્ટ માસમાં યોજવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ


:: તા.૦૮.૦૭.૨૦૨૪ ::

બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩)ની શારીરીક કસોટીના કોલલેટર અંગે જરૂરી સુચના

શારીરીક કસોટી તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૨૪/૦૭/૨૦૨૪ દરમ્યાન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે યોજાનાર છે. શારીરીક કસોટીમાં હાજર રહેવા માટેના કોલલેટર સબંધિત શહેર/જીલ્લા ખાતે પત્ર લખી મોકલી આપવામાં આવેલ છે.

પત્રમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારે કોલલેટરમાં નિયત જગ્યાએ પોતાની સહી કરી, પોતાનો યુનિફોર્મવાળો (ટોપી વગરનો) ફોટો નિયત જગ્યાએ ચોટાડી, ફોટા ઉપર કચેરીનો રાઉન્ડ સ્ટેમ્પ લગાવી, કચેરીના સહી સિકકા કરાવી, કચેરી ખાતે પત્રકમાં જણાવેલ કોલમ મુજબ “ઉમેદવારની કોલલેટર મળ્યા બદલની સહી” કરી કોલલેટર મેળવી લઇ હાજર રહેવાની જવાબદારી ઉમેદવારની રહેશે. કોલલેટર સિવાય શારીરીક કસોટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.


:: તા.૦૫.૦૭.૨૦૨૪ ::

બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩)ની શારીરીક કસોટી અને લેખિત પરીક્ષા અંગે જરૂરી સુચના

બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) માટે શહેર/જીલ્લા/યુનીટ તરફથી અરજીઓ મંગાવવામાં આવેલ. અત્રે જે ઉમેદવારોની અરજી મળેલ છે તે ઉમેદવારોની શારીરીક કસોટી તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૨૪/૦૭/૨૦૨૪ દરમ્યાન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે યોજાનાર છે. શારીરીક કસોટીમાં હાજર રહેવા માટેના પ્રવેશપત્ર (કોલલેટર) સબંધિત શહેર/જીલ્લા ખાતે મોકલી આપવામાં આવશે જે ધ્યાને લેવુ

વધુમાં લેખિત પરીક્ષામાં કાયદાના પેપર બાબતે ઘણા બધા ઉમેદવારો તરફથી રજુઆત મળેલ છે કે કાયદાનું પેપર જુના કાયદા મુજબ કે નવા કાયદા મુજબ લેવામાં આવશે? આ અંગે જણાવવાનું કે, સરકારશ્રીના તા.૨૭/૦૧/૨૦૨૦ના પરીક્ષા નિયમોમાં જણાવ્યા મુજબ કાયદાનું પેપર લેવામાં આવશે જે ધ્યાને લેવુ.


:: તા.૦૧.૦૬.૨૦૨૪ ::

બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) ની શારીરીક કસોટી યોજવા બાબત

બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) માટે શહેર/જીલ્લા/યુનીટ તરફથી અરજીઓ મંગાવવામાં આવેલ. અત્રે જે ઉમેદવારોની અરજી મળેલ છે તે ઉમેદવારોની શારીરીક કસોટી જુલાઇ માસમાં યોજવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ

ઉપરોકત બાબતે જો કોઇ પ્રશ્ન હોય તો સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી (જાહેર રજાના દિવસ સિવાય) પોલીસ ભરતી બોર્ડની હેલ્પલાઇન નંબરઃ (1) 81608 80331 (2) 81608 53877 (3) 81608 09253 ઉપર સંપર્ક કરવો.


:: તા.૨૪.૦૫.૨૦૨૪ ::

પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરના અભ્યાસક્રમ બાબત

પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરના ભરતી પરીક્ષા નિયમોને ધ્યાને લઇ, લેખિત પરીક્ષા માટે ઉમેદવારોના માર્ગદર્શન સારૂ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે. જે નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.


:: તા.૧૭.૦૫.૨૦૨૪ ::

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૧૪૩૬૫ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.

જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.

તા.૨૫/૦૫/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.

અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે અહીં કલીક કરો......


:: તા.૦૬.૦૫.૨૦૨૪ ::

ફી ભરવા માટે જરૂરી સુચના

જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલ-૧૭,૦૦૦ જેટલા ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. ઓનલાઇન ફી ભરવા માટેનો આવતીકાલ તા.૦૭/૦૫/૨૦૨૪ છેલ્લો દિવસ છે, જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ફી સમયસર ભરી દેવી. જો સમયસર ફી ભરાશે નહીં તો આવા ઉમેદવારોની અરજી રદ થશે.


:: તા.૦૪.૦૫.૨૦૨૪ ::

ફી ભરવા માટે જરૂરી સુચના

જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલ-૨૦,૦૦૦ ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.


:: તા.૦૧.૦૫.૨૦૨૪ ::

ફી ભરવા માટે જરૂરી સુચના

તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦.૦૪.૨૦૪ દરમ્યાન ૧૨,૪૫,૬૧૨ અરજીઓ થયેલ છે તે પૈકી ૧૦,૨૬,૮૧૯ અરજીઓ કન્ફર્મ થયેલ છે.

જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલઃ ૧,૫૫,૩૭૧ ની કન્ફર્મ થયેલ છે તે પૈકી તા.૦૧/૦૫/૨૦૨૪ નારોજ કલાકઃ ૧૦.૦૦ વાગ્યા સુધીમાં ૧,૨૯,૨૧૮ ઉમેદવારોએ ફી ભરેલ છે, આમ હજી ૨૬,૧૫૩ ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.

વધુમાં ખાસ જણાવવાનું કે, જે ઉમેદવારોની અરજી કન્ફર્મ થયેલ છે તેવા ઉમેદવારોની અરજીમાં કોઇ ભુલ રહેલ હોય તો આ બાબતે રૂબરૂમાં કે ટપાલથી ભરતી બોર્ડ ખાતે સુધારા માટે રજુઆત કરવી નહીં, કારણ કે અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઇ સુધારો કરી શકાય નહીં જે ધ્યાને લેવુ.


:: તા.૨૯.૦૪.૨૦૨૪ ::

અરજી કરવા માટે જરૂરી સુચના

તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૨૯/૦૪/૨૦૨૪ના બપોર કલાકઃ ૧૨.૪૫ સુધીમાં ૧૦,૭૮,૪૧૦ અરજીઓ થયેલ છે તે પૈકી ૮,૯૨,૪૮૬ અરજીઓ કન્ફર્મ થયેલ છે.

જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, અરજી કરવાની છેલ્લી આવતીકાલ તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ ફકત ૨ (બે) દિવસ જ બાકી છે. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.

અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.


:: તા.૨૫.૦૪.૨૦૨૪ ::

અરજી કન્ફર્મ કરવા અંગે જરૂરી માર્ગદર્શન

ઉમેદવારો તરફથી રજુઆત મળેલ છે કે, અરજી કન્ફર્મ થયા અંગેનો કોઇ મેસેજ મળેલ ન હોય તો અરજી કન્ફર્મ થયેલ છે કે નહી તે કઇ રીતે જાણી શકાય? જે અંગે જરૂરી માર્ગદર્શન નીચે મુજબ છે.

OJAS પોર્ટલ પર અરજીમાં તમામ વિગતો ભર્યા બાદ SAVE બટન ઉપર કલીક કરવાથી અરજી નંબર દેખાશે જે નોંધી લેવો. આ અરજી નંબરનો ઉપયોગ કરી ફોટો અને સહી અપલોડ કરવી. અરજી કન્ફર્મ કરવા માટે Online Application માં Confirm બટન ઉપર કલીક કરવુ ત્યાર બાદ અરજી નંબર અને જન્મ તારીખ નાખ્યા બાદ OK બટન ઉપર કલીક કરવાથી તમારી અરજી કન્ફર્મ થઇ જશે અને ૮ (આઠ) આંકડાનો કન્ફર્મ નંબર પણ દેખાશે જે નોંધી લેવો.

જો અરજી કન્ફર્મ કરેલ હોય અને કન્ફર્મ નંબર ભુલી ગયા હોય તો OJAS પોર્ટલના Home પેઇઝ ઉપર Help/Query સેકશનમાં “તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં કલીક કરો” ઉપર કલીક કરવાથી Enter Advertisement No. માં GPRB/202324/1 અને મોબાઇલ નંબર અને જન્મ તારીખ નાખી તમારો કન્ફર્મેશન નંબર જાણી શકો છો.

તમે અરજી કન્ફર્મ કરેલ છે અને કન્ફર્મ થઇ છે કે નહીં તેની ખબર ના પડતી હોય તો નીચેની લીંક ઉપર કલીક કરવાથી તમારો કન્ફર્મેશન નંબર મળી જશે. જો તમને કન્ફર્મેશન નંબર મળે તો તમારી અરજી કન્ફર્મ અને જો ના મળે તો તમારી અરજી કન્ફર્મ થયેલ નથી. જો તમારી અરજી કન્ફર્મ થયેલ ના હોય તો તમારે અરજી કન્ફર્મ કરવાની થાય અથવા નવેસરથી બીજી અરજી કરવાની થાય.

કન્ફર્મેશન નંબર જાણવા માટે નીચેની લીંક ઉપર કલીક કરો.

https://ojas.gujarat.gov.in/KnowConfirmationNo.aspx?opt=wgtAwyTJIQM=


:: તા.૨૪.૦૪.૨૦૨૪ ::

અરજી કરવા માટે જરૂરી સુચના

તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૨૪/૦૪/૨૦૨૪ના સવાર સુધીમાં ૭,૮૧,૮૪૮ અરજીઓ થયેલ છે તે પૈકી ૬,૪૧,૫૯૧ અરજીઓ કન્ફર્મ થયેલ છે.

જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૭ (સાત) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.

અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.

ઉપરોકત બાબતે જો કોઇ પ્રશ્ન હોય તો વેબસાઇટ પર મૂકવામાં આવેલ પ્રશ્નો/જવાબનો અભ્યાસ કરી લેવો તેમજ વધુ જરૂર જણાય તો સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી પોલીસ ભરતી બોર્ડની હેલ્પલાઇન નંબરઃ (1) 81608 80331 (2) 81608 53877 (3) 81608 09253 તથા ટોલ ફ્રી નંબરઃ 1800 233 5500 ઉપર સંપર્ક કરી માહિતી મેળવી લેવી.


:: તા.૧૫.૦૪.૨૦૨૪ ::

અરજી કરવા માટે જરૂરી સુચના

તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૧૫/૦૪/૨૦૨૪ના બપોર સુધીમાં ૪,૫૯,૬૦૯ અરજીઓ થયેલ છે તે પૈકી ૩,૬૭,૦૭૬ અરજીઓ કન્ફર્મ થયેલ છે.

જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૧૫ (પંદર) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી ભોગે સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.

અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી.


:: તા.૧૨.૦૪.૨૦૨૪ ::

પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક

લોકરક્ષક તથા પો.સ.ઇ. ભરતીના ઉમેદવારો ૫રીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક આ સાથે મુકવામાં આવેલ છે.

આ અંદાજિત સમય૫ત્રક છે, જુદા જુદા કારણોસર તેમાં ફેરફાર થઇ શકે છે. પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક માટે અહીં કલીક કરો......


ઘોરણ-૧ર પાસ કર્યા વિના બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીથી સ્નાતક થતાં ઉમેદવારો માટે માર્ગદર્શન

કેટલાક ઉમેદવારો કે જેઓએ ઘોરણ-૧ર પાસ કર્યા વિના બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીનો બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ (BPP) બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસ કરેલ છે, તેવા ઉમેદવારો લોકરક્ષક / પો.સ.ઇ.માં અરજી કરી શકે કે કેમ?

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીની માર્ગદર્શન પુસ્તિકામાં સ્નાતક ૫દવી માટેના પ્રારંભિક અભ્યાસક્રમ અંગેનું સાહિત્ય વંચાણે લેતાં બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ ઘોરણ-૧ર સમકક્ષ નથી. જેથી બી.પી.પી. પાસ કરનાર ઉમેદવાર કે જેણે ઘોરણ-૧ર પાસ કરેલ ન હોય અથવા તો ઘોરણ-૧ર પાસને સમકક્ષ ગણાતો ડિપ્લોમા / આઇ.ટી.આઇ. પાસ કરેલ ન હોય તો તે લોકરક્ષકમાં અરજી કરી શકશે નહીં કારણ કે તેણે ઘોરણ-૧ર સમકક્ષ ૫રીક્ષા પાસ કરેલ નથી.

૫રંતુ જો બી.પી.પી. કર્યા બાદ ઉમેદવારે બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીમાં સ્નાતક એટલે કે બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસક્રમ કરેલ હોય તો તે ઉમેદવાર પો.સ.ઇ. માટે અરજી કરી શકશે.

આવા ઉમેદવારે ઘોરણ-૧ર સમકક્ષની માર્કશીટને બદલે સ્નાતકના છેલ્લા વર્ષની માર્કશીટ અ૫લોડ કરવાની રહેશે તથા તેમાં દર્શાવ્યા મુજબનું નામ અરજીમાં ભરવાનું રહેશે.

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટી અંગે ઉમેદવારો ઘ્વારા મળેલ રજૂઆતના આઘારે ચકાસણી કરી ઉ૫રોકત વિગતો મુકેલ છે. કોઇ ઉમેદવાર પાસે આ પ્રકારની અન્ય યુનિવર્સીટીની કોઇ ડિગ્રી હોય તો તેના પ્રમાણ૫ત્રો તથા યુનિવર્સીટીના અભ્યાસક્રમ સાથે ભરતી બોર્ડનો રૂબરૂ સં૫ર્ક કરવાથી તેઓને વઘુ માર્ગદર્શન આપી શકાશે.

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીના અભ્યાસક્રમની માહિતી માટે અહીં કલીક કરો......


મેડીકલ ચકાસણી

ઉમેદવારો તરફથી ભરતી પ્રક્રિયામાં પસંદગી થયા બાદ તબીબી પરીક્ષણને લગત નીચે જણાવ્યા મુજબના પ્રશ્નો અમારી સમક્ષ આવેલ છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય વિભાગના મેડીકલ બોર્ડને પત્ર લખવામાં આવનાર છે. જેથી નીચે જણાવેલ પ્રશ્નો સિવાય તબીબી પરીક્ષણને લગત જો કોઇ અન્ય પ્રશ્ન હોય તો દિન-૨માં જણાવવુ.

  1. જો જુનુ અસ્થીભંગ હોય અને દોડ પુરી કરી શકતા હોય તો માન્ય રહે કે કેમ?
  2. શરીરના કોઇપણ ભાગે ટેટુ કે છૂંદણા હોય તો માન્ય રહે કે કેમ?
  3. આંખના નંબર હોય તો માન્ય રહે કે કેમ? જો આંખના નંબર હોય તો કેટલા નંબર સુધી માન્ય રહેશે?
  4. દાંત તુટેલા હોય તો માન્ય રહે કે કેમ?
  5. જમણો હાથ વાપરનારની પ્રથમ આંગળી અડધી કપાઇ ગયેલ છે માન્ય રહે કે કેમ?
  6. હાથના ભાગે કે પગના ભાગે કોઇ ઓપરેશન કરાવેલ હોય તો માન્ય રહે કે કેમ?

:: તા.૧૦.૦૪.૨૦૨૪ ::

ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવા બાબતે જરૂરી સુચના

ભરતી બોર્ડ ધ્વારા તા.૦૧/૦૪/૨૦૨૪ નારોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ જાહેરાત અંગેની સુચનાઓમાં મુદદા નંબરના ખાસ નોંધ માં (એ) માં જણાવ્યા મુજબ “ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.” તેમ જણાવેલ છે.

તેમ છતાં હેલ્પલાઇન ઉપર નીચે મુજબની રજુઆતો મળેલ છે.

  1. બિન હથિયારી પો.સ.ઇ.ની જગ્યા માટે શૈક્ષણીક લાયકાતનું ધોરણ સ્નાતક હોવાથી ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની માર્કશીટ અપલોડ કરવી?
  2. લોકરક્ષક કેડરમાં ડિપ્લોમાં કરેલ ઉમેદવારોએ ધોરણ-૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર અપલોડ કરવુ કે ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ અપલોડ કરવી?

ઉપરોકત બંન્ને કિસ્સામાં ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટ અથવા ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની છે.

જો કોઇ ઉમેદવારે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષની માર્કશીટના બદલે સમકક્ષ પ્રમાણપત્ર (ઇકવીલેન્ટ સર્ટીફિકેટ) અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં, જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરીને ફી પણ ભરવાની રહેશે.


:: તા.૦૯.૦૪.૨૦૨૪ ::

કેટલાક ઉમેદવારો ૫ગારઘોરણ વિશે જાણવા માગે છે, જેની વિગતો નીચે મુજબ છે.

સરકારશ્રીના નાણાં વિભાગ, ગાંધીનગરના તા.૧૮.૧૦.૨૦૨૩ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/ ૨૦૦૨/૫૭/પાર્ટ-૪/ઝ.૧ માં જણાવ્‍યા મુજબ કરારના સમયગાળા દરમ્યાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરમાં માસિક રૂ.૪૯,૬૦૦/- તથા લોકરક્ષક સંવર્ગમાં માસિક રૂ.૨૬,૦૦૦/- ના એકત્રિત વેતન તેમજ સરકારશ્રી જો કોઇ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબના વેતનથી ફિકસ્ડ પગાર જ મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા દરમ્યાન સંતોષકારક રીતે નોકરી પૂર્ણ કરશે તો જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં (પગાર ધોરણ નીચે દર્શાવ્યા મુજબ છે.) નિયમિત નિમણુંક મળવાપાત્ર થશે.

  1.     બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર:    ૩૯,૯૦૦ – ૧,૨૬,૬૦૦
  2.     લોકરક્ષક સંવર્ગ:                                        ૧૮,૦૦૦ – ૫૬,૯૦૦

:: તા.૦૮.૦૪.૨૦૨૪ ::

ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે, જેના મોબાઇલ નંબરો નીચે જણાવ્યા મુજબ છે. આ હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

  1. 81608 80331
  2. 81608 53877
  3. 81608 09253

:: તા.૦૬.૦૪.૨૦૨૪ ::

તા.૧૩.૦૩.ર૦ર૪ ના રોજ વર્તમાન૫ત્રમાં બહાર પાડવામાં આવેલ લોકરક્ષક તથા પી.એસ.આઇ. ની ભરતીની જાહેરાતમાં બિનઅનામત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ આ બંને કેટેગરી વિશે કેટલાક ઉમેદવારોને ગેરસમજ હોવાની અત્રે રજૂઆત મળેલ છે. જેથી ઉમેદવારોની જાણ માટે નીચે મુજબની સ્પષ્ટતા બહાર પાડવામાં આવે છે.

  1. જાહેરાતમાં જયાં બિનઅનામત વર્ગ દર્શાવેલ છે ત્યાં બિનઅનામત વર્ગ એટલે કે જેમનો અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) , સામાજિક અને શૈક્ષણિક ૫છાત વર્ગ (SEBC) કે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં સમાવેશ થતો નથી અને તેની અનામતનો લાભ મળતો નથી, તેવો ઓ૫ન કેટેગરી અથવા જનરલ કેટેગરી અથવા સામાન્ય વર્ગ.
  2. આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે EWS કેટેગરી એટલે કે બિનઅનામત વર્ગના જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના હોવાના કારણે તેમને EWS નો લાભ મળવાપાત્ર છે તે.

બિનઅનામત વર્ગ એટલે કે જેમને SC, ST, SEBC નો લાભ મળતો નથી, ૫રંતુ સરકારશ્રીએ નકકી કરેલા મા૫દંડો મુજબ આર્થિક રીતે નબળા વર્ગમાં એટલે કે EWS માં જેનો સમાવેશ થાય છે તે.


:: તા.૦૩.૦૪.૨૦૨૪ ::

પોલીસ ભરતી બોર્ડની ઓનલાઇન અરજી કન્ફર્મ કર્યા બાદ જે ઉમેદવારોએ ફીના નાણાં ભરવાના છે તેવા ઉમેદવારોએ SBIepay નું પેઇજ ખુલે તેમાં કયા મોડથી ફી ભરવાની છે તેની માહિતી આવશે તેમાં (1) UPI (2) Internet Banking તથા (3) Debit/Credit/Prepaid Cards મોડ હશે.

Debit/Credit/Prepaid Cards પૈકી જે ઉમેદવારોએ Debit Card થી ફી ભરવાની છે તેમાં ફકત Rupay Debit Card સિવાય અન્ય કોઇ Debit Card થી ફી ભરી શકાશે નહીં જે ધ્યાને લેવુ


:: તા.૦૧.૦૪.૨૦૨૪ ::

તા.૧૪.૦૩.૨૦૨૪ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગેની સુચનાઓમાં નીચે જણાવ્યા મુજબ જરૂરી સુધારા કરવામાં આવેલ છે.

(૮.૨૦)     પોલીસ કે સરકારી ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.

તેને બદલે હવે નીચે જણાવેલ ફકરો વાંચવાનો રહેશે.

(૮.૨૦)    ગેરરીતિ સબબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.

અન્ય કોઇ એક જ ભરતી બોર્ડ (મંડળ)ની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો જો પોલીસ ભરતી માટે ગેરલાયક ઠરેલ ન હોય તો આ ભરતીમાં અરજી કરી શકશે.

૭.૭    માં નીચે જણાવેલ ફકરો ઉમેરવામાં આવેલ છે.

મૂળ ગુજરાતનાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ, અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે.

સુધારા સાથેની વિગતવારની સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો......


:: ૧૪.૦૩.૨૦૨૪ ::

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની વિગતવાર સુચનાઓ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની તા.૧૨/૦૩/૨૦૨૪ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ સુચનાઓની નોંધ (ર) માં જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે તેમ જણાવેલ હતુ. ઓનલાઇન અરજીઓ સ્વીકારવા માટેની કાર્યવાહીમાં ઉમેદવારોને સરળતા રહે તે હેતુથી વિગતવારની સુચનાઓ મૂકવામાં આવે છે,

વિગતવારની સુચનાઓ જોવા માટેઅહીં કલીક કરો......


:: ૧૨.૦૩.૨૦૨૪ ::

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની સુચનાઓ

  • ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે દૈનિક અખબારમાં આપવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 જોવા માટે અહીં કલીક કરો......

  • પો.સ.ઇ. કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટેના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • જેલ સિપોઇ (પુરૂષ) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • જેલ સિપોઇ (મહિલા) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • નોંધઃ

    (૧) OJAS વેબ સાઇટ પર ઓનલાઇન અરજીઓ તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ સ્વીકારવા અંગેની કાર્યવાહી ચાલુ થવાની સંભાવના છે.

    (૨) જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર તથા OJAS વેબ સાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે.

    (૩) ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ કાર્યરત ન થાય ત્યાં સુધી અગત્યની માહિતી આ જ વેબસાઇટ પર મૂકવામાં આવશે.

હેલ્‍પ લાઇન
સવારના કલાક : ૧૦.૩૦ થી સાંજના કલાક ૦૬.૦૦ સુધી
(રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય)
  1. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હેલ્પ લાઇન નંબર
  2. ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર
અમારો સંપર્ક કરો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી,
બંગલા નં.ગ-૧ર, સેકટર-૯, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર – ૩૮ર૦૦૭